મારું
જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !
અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !
અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !
અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.
કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .
કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.
રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.
હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું
– ‘શૂન્ય’ પાલનપુરી
તો મને સમજાવ જે
ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે.
પ્રેમ ઍટલે સ્પર્સ નહી,
પ્રેમ ઍટલે શર્મ નહી,
પ્રેમ ઍટલે પુજા નહી,
પ્રેમ ઍટલે પ્રાર્થના નહી.
પણ, આ આશુ રૂપી જલ ને તૂ સમજે, તો મને સમજાવ જે.
ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે.
અલગ-અલગ ભાષા આ પ્રેમ ની,
અલગ-અલગ આશા આ પ્રેમ ની,
અલગ-અલગ રીત આ પ્રેમ ની,
અલગ-અલગ પ્રીત આ પ્રેમ ની,
પણ, આ અલગ-અલગ અંશ ને તૂ સમજે, તો મને સમજાવ જે.
ઍક અર્થ પ્રેમ નૉ તૂ સમજે, તો મને સમજાવ જે.
[મારી કલમ ના આંસુ….!!!] Neet
ઍક મુલાકાત
મુંબઇ ના બાંદ્રા રેલ્વૈ સ્ટેશન ની પુછ્પરછ ની બારી પરના ઘડિયાળ સમય થયો હતો ૬ વગવાંમા ૫ મિનિટ ઑછિ. ઍક કદાવર આર્મી જવાન ઝીણી આંખ કેરી ને સમય નોંધી રહ્યો હતો. ઍક વખત આ ઘડિયાળ સામે અને બીજી વખત પોતાની કાડા ઘડિયાળ સામે જોઈને ઍને બેઉ ઘડિયાળો બરાબર ચાલી રહ્યા છે તેની ખાત્રી કરી લીધી. ઍનો દરેક હાવભાવ અને પ્રત્યેક હલન ચલન ઍ અતિ આતુરતાપૂર્વક કોઈ ની રાહ જોઈ રહ્યો છે ઍવુ બતાવતા હતા. થોડી થોડી વારે ઍ ઉંડો શ્વાસ લઈ ને છોડતો હતો. હાથ નો પરસેવો લુછતો હતો. પોતાના હાથમા પકડેલા રાતા ગુલાબને જોઈ ને આમથી તેમ આટા પણ મારી લેતો હતો. અને આવુ બધુ થાય તેમા કાઇ નવાય પણ નો હતી. છેલ્લા અઢાર-અઢાર મહિનાઓ થી જે સ્ત્રી ઍ ઍના જીવન મા અમૂલ્ય સ્થાન મેળવી લીધુ હતુ. ઍ સ્ત્રી આજે ઍને પ્રથમ વખત મળવાની હતિ. જે સ્ત્રી ના લખેલા પત્રો અને ઍમાના અદભૂત શ્બ્દોના સહારે ઍને યુધ્ધભૂમિ પરનુ દોઢ વરસ પસાર કર્યુ હતુ ઍ સ્ત્રી તેને ફ્ક્ત ૫ મિનિટ પછી ઍટલે કે, બરાબર ૬ ના ટકારે મળવાની હતી. બંને ઍ અકબિજાને ક્યારેય જોયા ન હતા. ફ્ક્ત પત્ર ના માધ્યમ થિજ મળતા રહેલા. આજે ૬ વાગે રાતા ગુલાબ ની નિશાની સાથે બંને મળવાના હતા. હવે ફ્ક્ત ૪ જ મિનિટ બાકી હતી ૬ વગવામા. ઍ જવાન ને આજની ૫ મિનિટ ઍનિ જિંદગીની સવથિ લાંબી ૫ મિનિટ લગિરહિ હતી.
આ શબ્દો થી જવાન ને ખુબજ સહારો મળેલો. અને હિમ્મત મા પણ ઘણો વધારો થયેલો.
‘મારૂ કાઇ કામ હતુ જવાન..?’ અચાનક પોતાની આગડ ઉભા રહી ગયેલા જવાન ને ઉદેશી ને ઍ યુવતી બોલી.
જવાન ઍને જતી જોઈ રહ્યો. ઍનુ મંન ઍક વખત બોલી ઉઠ્યુ કે…….કેટલી સુંદર હતી ઍ!……..
રોડ ની સામેની તરફ પગ ઉપાડતા પેહલા કેટલીય વાર સુધી જવાને ઍ સ્ત્રી સામે સ્તબ્ધ બનીને જોઈ રહ્યો! પછી ઍ સ્મિત કરીને ઍ પેલી પરીને મળવા રેસ્ટોરન્ટ તરફ આગળ વધ્યો
ડૉ. આઈ. કે. વીજળીવાળા
[મોતીચારો ભાગ-૨]
પ્રાર્થનાની શક્તિ
ઘણા ટાઇમ પેલા ની આ વાત છે. ઠેલી મા કઈક વસ્તુ લઈને ઍક ગરિબડી લાગતી સ્ત્રી કરીયાણા ની દુકાન મા દાખલ થય. તેના ચહેરા પર ચિંતા અને લાચારી સ્પસ્ટ દેખાતી હતી. દુકાનદાર ને તેણે આજીજી કરી કે પોતાની પાસેની તંબા ની તપેલીના બદલામા અનાજ કે ચોખા કે જે કાઇ આવે તે આપે. ઍના બાળકો બે-બે દિવસ થ્યા ભૂખ્યા હતા. ધણી ને છેલ્લા તબક્કાનુ કેન્સર હતુ. ઘર મા વેચવા માટે આ ઍક તપેલી શિવાય કાઇ પણ બચ્યુ ન હતુ. જો તેના બદલામા કાઇ પણ સીધુ મળી જાઇ તો પણ બે દિવસ ના ભૂખ્યા બાળકોના પેટમા કઈક પડે ઍવી આશા સાથે તે આવી હતી
પરંતુ તેની આજીજીની પેલા વેપારી પર કાઇ જ અસર ના પડી. પોતે જૂના વાસણ ના બદલામા કરીયાણા નો ધંધો નથી કરતો ઍવો ઍનો જવાબ હતો. તેમ છતા વારંવાર ઍનિ વિનંતીઓથી વેપારી ગુસ્સે થય ગયો. ‘ખબર નહી’ ક્યાથી સવાર સવાર મા આવા ભિખારા આવી જાઇ છે..! ઍવુ બબડી વેપારી ઍ પેલી સ્ત્રી ને દરવાજા તરફ આંગળી ચીંધીને જતા રેહવા કહ્યુ. રડતી-રડતી ઍ સ્ત્રી બહાર જતી જ હતી કે ત્યા ઉભેલા ઍક ગ્રાહકને ઍના પર દયા આવી. ઍને વેપારીને કહ્યુ કે ઍ તપેલીના ભારોભાર જે કાઇ પણ આવે તે પેલી સ્ત્રીને આપે, અને જો વસ્તુઓ ની કિંમત તપેલીના આશરે કિંમત કરતા વધારે થસે તો ઉપરના રૂપિયા ઍ પોતે ચૂકવસે.
દુકાનદાર હવે ફસાયો. જો ના પાડે તો પણ ભુંઢો લાગે. વાડકુ ભરીને ઍને ઍ સ્ત્રીને ત્રાજવના ઍક પાલ્લામા તપેલી અને ખરીદી નુ લીસ્ટ મૂકવા કહ્યુ.
પેલી સ્ત્રીની જરૂરીયાતો ઍટલી બધી હતી કે શેનુ લીસ્ટ બનાવે..? આણે ઍક નાની ચબરખી પર કઈક લખ્યુ. પછિ તપેલીમા ઍ ચબરખી મૂકી. દુકાનદાર ઍ ચબરખી લેવા જાઇ તે પેલા ઍ બોલી ઉઠી કે ભાઈ! ઍક કામ કારોને! તમે ઍ ચબરખી વાંચવી રહેવા દો. તપેલી ની ભારોભાર ચોખા, ઘવનો લોટ, ખાંડ અને દાળ જે કાઇ થોડુ થોડુ આવે ઍટલુ આપી દો.! આટલુ કહી પછિ તે માથુ ઝુકવીને ઍ ઉભી રહી.
દુકાનદારે તુચ્છકારના ભાવ સાથે થોડાક ચોખા, થોડીક ખાંડ થોડો લોટ અને દાળ બીજા પાલ્લા મા મુક્યા. ઍને હતુ કે બધુ મૂઠી-મૂઠી નાખિસ ઍટલે પલ્લૂ નમી જાસે. પણ પલ્લૂ નમ્યુ નહી. ઍને બધીજ વસ્તુઓ ડબલ માત્રા મા નાખી. છતા પલ્લૂ તો ઍમ ને ઍમ જ રહ્યુ. હવે તેને નવાઈ લાગી. તાંબા ની ઍક તપેલીનો આટલો ભાર કઈ રીતે હોઈ સકે..?? આશ્ચર્ય સાથે ઍ બધી વસ્તુઓ ઉમેરતો જ ગયો. ત્રાંજવાનુ ઍ પલ્લૂ હવે વધારે વસ્તુઓ સમાવી શકે નહી તેટલી હદે ભરાઈ ગયુ પણ નમ્યુ તો નહી જ! દુકાનદાર આભો બની ગયો. ઍને સમજાતુ નહોતુ કે આ શુ બની રહ્યુ છે.! પાલ્લામા જ્યારે ઍક પણ વસ્તુ વધારે સમાઇ શકે તેવી શક્યતા ન રહી ત્યારે આણે વસ્તુ ઉમેરવાનુ બંધ કર્યુ. બધી વસ્તુઓ ઍક મોટા થેલામા ભરીને દુકાનદારે પેલી સ્ત્રીને આપી. પેલા અન્ય ગ્રાહક નો તથા દુકાનદરનો પણ આભાર માની આન્શુ ભરી આંખો સાથે ઍ સ્ત્રી ઍ વિદાય લીધી. કહ્યા પ્રમાણે બધી વસ્તુઓના ૫૦૦ રૂપિયા પેલા ગ્રાહકે ચૂકવી દીધા. બે માથી અકેય ને સમજાતુ નહોતુ કે તપેલિનુ વજન આટલુ બધુ વધી શી રીતે ગયુ??? દુકાનદારે પેલી સ્ત્રી ઍ લખેલી ચબરખી તપેલી માથી ઉઠાવીને ખોલી. ઍમા પેલી સ્ત્રી ઍ લખ્યુ હતુ કે, ‘ હે ભગવાન ! હૂ શુ લીસ્ટ બનાવુ અને શેનુ શેનુ લીસ્ટ બનાવુ..??? તૂ મારી જરૂરીયાતો જાણે જ છે. તૂ મને ઍટલુ જોખાવી આપજે..!!
દુકાનદાર અને પેલો ગ્રાહક ઍક બીજા સામે જોઈ રહ્યા. દુકાનદારે તપેલી ઉઠાવીને જોયુ તો પલ્લુનો ઍ તરફ નો હિસ્સો તૂટી ગયો હતો. ઍ કાઇ ન બોલી શક્યો. અંતર ના ઉંડાણ માથી ઉઠેલી પ્રાર્થનાં નુ વજન કેટલુ હોય ઍ આજે ઍને બરાબર સમજાઈ ગયુ હતુ.
ડૉ. આઈ. કે. વીજળીવાળા
[મોતીચારો ભાગ-૨]
લાગણી
“લાગણી..! આ શબ્દ કેટલો મહાન લાગે છે. જીવન ની સંવર્ધના ને વ્યક્ત કરતો આ શબ્દ ઘણુ કહી જાઇ છે. આ શબ્દ માત્ર ત્રણ અક્ષર નો જ છે પણ જેના વીના જીવન જાણે ” પાનખર ઋતુ રહેલા જંગલ જેવુ.” “રણ પ્રદેશ મા તરસ્યા જીવન જેવુ ઉજ્જડ લાજ છે. આ શબ્દ ની ગેહરાઇઑ મા જાખતા કેટલાક વ્યંજનો ઉભા થતા જોવા મડે છે, શુ આ વ્યંજનો ઍજ લાગણી હસે.? આ પ્રશ્નન નો જવાબ કોઈ નહી માત્ર દિલજ કહી શક્શે. હૃદય મા ડોકીયુ કરતા આ પ્રશ્નન નો જવાબ આપોઆપ મળી સકે છે, જેના માટે દ્રષ્ટી કેળવવાની જરૂર રહેતી નથી.
“લાગણી..! ઍ વ્યક્ત કરવાની વસ્તુ નથી પરંતુ તે આપોઆપ વ્યક્ત થતી હોય છે. આ શબ્દ થી માણસ નુ માપન થય સકે છે. બનાવટી પ્રેમ ઍ લાગણી માત્ર દેખાય છે, શુ આ ખોટો પ્રેમ પ્રગટ કરતુ વ્યક્તિ આટલૂ પણ ના જાણતી હાય….?? કે આ તેનો બનાવટી પ્રેમ દુનિયા લોકો પરખી જાઇ છે. લાગણી ના સબંધો ને નામ નથી હોતુ, તેનાથી જીવન ધબકતુ બને છે. ઇન્સાનીયત નો સંબંધ નેતુ શુ નામ આપશો..???? આ સંબંધ બિજુ કાઇ જ નહી પણ લાગણી જ છે.
માણસ આવેગ મા આવી અને લાગણી ના સંબંધ ટૉડી નાખે છે, ત્યારે તેનુ આધ:પતન શરૂ થાય છે. લાગણી વગર નો માણસ ઍ ગંજીપતા ના મહેલ જેવો હોય છે જે પવન ના સપાતા માત્ર થી જ પાડી જાઇ છે. લાગણી સબ્દ થી જીવન જીવવાની પ્રેણના મડે છે, જો તેનુ જરાપણ મુલ્ય આપણે આપણા જીવન મા ઉતારિયે સકિયે……
અંત મા હૂ ઍટલુજ કહી સકુ કે, જે છે તેતો છે જ પણ જે નથી તે મેળવવુ અને જેના માટે મેળવવુ છે તે દ્રષ્ટીબિંદુ રાખી અને લાગણી ને સ્થાન આપવુ……..છતા આ શબ્દ ની પાછડ ભોડવાય છેતારાતા લોકો પણ આ દુનિયા મા ઑછા નથી……..!!!!!!
[મારી કલમ ના આંસુ….!!!] Neet
comment